Sharad Poonam Garba

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ.નિતીન સુમંત શાહ, જેજેસીટી દ્વારા આયોજીત ઝુમે રે દિવ્યાંગ ગરબા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહીને બાળકોનું મનોબળ અને પ્રોત્સાહન વધાર્યું હતું.

  જેજેસીટી મનોદિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર ના મનોદિવ્યાંગ બાળકો નવરાત્રિની મજા માણી શકે તે માટે શરદ પૂનમના રોજ આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 100થી પણ વધુ મનોદિવ્યાંગો તેમના પરિવાર સાથે ગરબે ગુમ્યા હતા. તેમાં પણ મનોદિવ્યાંગ બાળકોએ જેજેસીટી વુમન વિંગ ગ્રુપ, મેહાંક ચાઇલ્ડ કેર સેન્ટર ગ્રુપ, ઉમિયા આર્ટ્સ ગર્લ્સ કોલેજ ગ્રુપના સભ્યો સાથે  તાલથી તાલ મિલાવીને ગરબા કર્યા હતા