Parivar Sanman Samarah -3

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન ડો.નિતિન સુમંત શાહ દ્વારા  એક અનોખા પરિવાર સન્માન સમારોહને  સ્પોનસર કરવામાં આવ્યો હતો.

આજના આધુનિક જમાનામાં જ્યારે લોકો વિભક્ત કુટુંબ વ્યવસ્થા તરફ વળી રહ્યા છે ત્યારે લોકો સંયુક્ત કુટુંબનું મહત્વ સમજે અને ફરી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તરફ પાછા વળે તેવી ભાવનાથી પ્રેરાઇને કલાસુર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી સંગીતાબેન પટેલ દ્વારા  પરિવાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 મે 2023 ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં 31 સંયુક્ત પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા સંયુક્ત પરિવારનું મહત્વ જણાવી લોકોને ફરી આ સંયુક્ત પરિવારમાં રહેવા માટે પ્રેરણા આપી હતી.આ ઉપરાંત આ કાર્યક્રમમાં .સિંગર અરવિંદ વેગડા અને દેવ પગલી પણ હાજર રહ્યા હતા.