book release program of ghazal-collection

ડૉ. ગુરુદત્ત ઠક્કર દ્વારા સંગીત અને સાહિત્યની પ્રવૃત્તિઓ ખાસ કરીને ચેરીટી શોઝનું દર વર્ષે સુંદર આયોજન કરવામાં આવે છે. 

હૃદયની ક્ષિતિજ પરગઝલ-સંગ્રહના પુસ્તક વિમોચન કાર્યક્રમ તા. 26-06-2022ને રવિવાર ના રોજ સાંજે 5 કલાકે અમદાવાદ મેડીકલ એસો. હોલ ખાતે રાખેલ હતો, જ્યાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નીતિન સુમંત શાહને (ચેરમેન, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ) આમંત્રિત કર્યા હતાં.

ડૉ. નીતિન સુમંત શાહે હૃદયની ક્ષિતિજ પરગઝલ-સંગ્રહના પુસ્તક વિમોચન સમયે શીર્વચન આપ્યા અને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા. આવનાર સમયમાં  મા સરસ્વતીની એમના પર ખૂબ કૃપા રહે અને આપણને હજુ વધુ રચના સંગ્રહો ગ્રંથસ્થ સ્વરૂપે મળે અને તેઓ કઈક નવું કરી શકે તેવી શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ દિશામાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ભવિષ્યમાં થતી  કોઈ પણ મદદ કરવા તૈયાર રહેશે.